દિલ્હી-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સહિત આરએસએસના મુખ્ય કાર્યાલય જે નાગપુરમાં આવેલુ છે, તેને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે, મહારાષ્ટ્રની એક કિસાન સભાના સચિવ અરુણ વિરૂદ્ધ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપ જિલ્લા પ્રમુખ આદિત્ય શુક્લાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી સંતવાલી પંદ્રેએ જણાવ્યું છે કે આદિત્ય શુક્લાએ મહારાષ્ટ્રની કિસાન સભાના સચિવ અરુણ બાંકર સામે ફરિયાદ નોંધાવી છે કે, બાંકરે ખુલ્લેઆમ ધમકી આપી છે કે, જાે મોદીએ ખેડુતો ઉપર ફાયરિંગ કર્યું તો તો આરએસએસનું મુખ્ય કાર્યાલય અને મોહન ભાગવતને પણ ઉડાવી દેશે.

આ ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે. બાંકરેના નિવેદનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સંતોષ પંદર એ કહ્યું કે નાગપુરથી દિલ્હી જતા સમયે સોમવારના રોજ મુલતાઇમાં શહીદ ખેડૂત સ્તંભ પર શ્રદ્ધાંજલિ ખેડૂત તેઓ રોકાયા હતા, જ્યાં ખેડૂત નેતા અરૂણ બાંકરે કહ્યું કે, મહારાષ્ટ્રના ખેડુતો મોદીને પાઠ ભણાવવા માટે દિલ્હી જઇ રહ્યા છે. જાે કૃષિ કાયદો પાછો નહીં ખેંચાય તો આપણને આત્મહત્યા કરવી પડશે અને જાે મોદી ખેડુતો પર ગોળીબાર કરશે તો અમે નાગપુરમાં મોહન ભાગવત અને સમગ્ર આરએસએસ કચેરીને ઉડાવી દઇશું.

જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ શુક્લાએ ખેડૂત નેતાના આ ધમકીભર્યા નિવેદનની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ખેડૂત અને સરકારની વાતો ખૂબ જ સૌમ્ય રીતે થઈ રહી છે, આ નેતા આ વાતાવરણને બગાડે છે.