નવી દિલ્હી
રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સાકરીયાના પિતા કાનજીભાઈ સાકરીયાનું કોરોનાના કારણે નિધન થયું છે. આઇપીએલ ૨૦૨૧ દરમિયાન જ ચેતનના પિતાને કોરોના થયો હતો. ૨૦૨૧મા સાકરીયાએ પોતાના પરિવારના બીજા સભ્યને ગુમાવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આઈપીએલ હરાજી પહેલા તેના નાના ભાઈ રાહુલે આત્મહત્યા કરી હતી. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે આ અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ. ફ્રેન્ચાઈઝીએ લખ્યું છે કે આ ખુબ જ પીડાની સાથે સૂચિત કરવું પડી રહ્યું છે કે કાંજીભાઈ સાકરીયા કોરોનાથી જંગ હારી ગયા છે. અમે ચેતન સાકરીયાના સંપર્કમાં છીએ. આ કઠીન સમયમાં તેમને અને તેમના પરિવારને હર સંભવ સહાયતા પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૪મી સીજન દરમિયાન ચેતન સાકરીયાને જ્યારે જાણવા મળ્યું કે તેમના પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેમણે તરત જ પોતાની સેલેરી પિતાની સારવાર માટે મોકલી આપી હતી. સાકરીયાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારના એક માત્ર કમાનાર સભ્ય છે. આઈપીએલથી મળેલા પૈસાના કારણે જ તેમના પિતાની સારવાર સંભવ થઈ શકી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments