બાયડ : બાયડ ખાતે જય અંબે પગપાળા સંઘ કે જે માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતો તેમજ ઓગણત્રીસ વર્ષથી દર વર્ષે ભાદરવી પૂનમ ઉપર બાયડથી ચાલીસ પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ચાલતા ચાલતા દર ત્રીસ કિલોમીટરે વિસામો કરતા પાંચ દિવસમાં અંબાજી ખાતે પહોંચી ધજા ચઢવતા હતા. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અંબાજી પદયાત્રા સંઘ પર પ્રતિબંધ હોઈ અંબાજી ખાતે જે અગિયારસો સંઘની નોંધણી થયેલ છે તેમની અંબાજી મંદિર વતી ધજાઓ પહોંચાડવામાં આવે છે. તેવી જ રીતે બાયડ સંઘને પણ ધજા પહોંચાડવામાં આવી હતી તે ધજા સાથે સંઘના પ્રમુખ કેતનભાઈ સોનીની રાહબરી હેઠળ પદયાત્રીઓ બાયડ પાલિકા વિસ્તારમા આવેલ રામના તળાવ ઉપર અંબે માતાજીનુ મંદિરે પદયાત્રીઓ ભેગા થઇ બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે તેમજ આરતી કરી કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર લાવે અને આવતા વર્ષે પાછા અંબાજી બોલાવે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં પ્રકાશ પટેલ, કાળુભાઇ પંજાબી, સુનિલ પટેલ, અશોક સોની, અતુલ પટેલ, કિરીટ પટેલ, ભાવેશ પટેલ, મુકેશ પટેલ,ચિન્ટુ પટેલ, દિલીપ પુરોહિત, જોડાયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments