વડોદરા, તા. ૧૭
ગોધરાની શ્રી ગોબિંદ ગુરુ યુનિ. દ્વારા અનાવિલ ભવન સામે ડી.ઈ.ઓ ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલ પુરુષ અધ્યાપન પાઠશાળા ખાતે બી.એડ ના ચોથા સેમેસ્ટરની પરીક્ષા યોજવામાં આવી હતી. કોરોનાની શરૂઆત થઇ ત્યારથી શાળા-કોલેજો બંધ હોવાની સાથે સાથે પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, ૧૦મી ઓગષ્ટના રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને કોલેજો તેમજ યુનિવર્સીટીઓને શરતો આધિન ઓફલાઈન પરીક્ષાઓ લેવાની છૂટ આપવામાં આવી હતી. જેને પગલે યુનિ. દ્વારા કોવિડની ગાઇડલાઇનને આધારે તમામ તકેદારીના પગલાઓ સાથે આજથી પરીક્ષાઓ લેવાની શરુ થઇ હતી. અંદાજે એક અઠવાડિયાથી વધુ સમય ચાલનારી પરીક્ષામાં હજારોની સંખ્યામાં બી.એડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે, તકેદારી રાખી હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ભય તો રહેલો જ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments