અમદાવાદ-

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક રિક્ષાચાલકે વિધવા મહિલાને તેના ઘરની બહાર ગેરવર્તન કરી તેની સાથે લગ્ન કરવા માટેની વાત કરી હતી. યુવતીના પિતા વૃદ્ધ છે અને તે કોઈ કામ અર્થે રિક્ષાવાળાને ફોન કરી ઘરે બોલવતા હતા. આ સાથે રિક્ષાવાળાની વૃદ્ધના ઘરની સદ્‌સ્યો સાથે ઓળખાળ થઈ ગઈ હતી. એક દિવસ વદ્ધે રિક્ષાચાલકે બોલાવ્યો હતો અને પાછા જતા રહેવા માટે કહ્યું હતું. આ વાત પર વિવાદ થયો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બીજા દિવસે રિક્ષાચાલકે વૃદ્ધ વ્યક્તિની પુત્રીને બોલાવી ધમકી આપી હતી. યુવતીનો હાથ પકડીને રિક્ષાચાલકે કહ્યું, ‘તારા પપ્પાએ ફરિયાદ નોંધાવી પણ મને કંઈ નથી થયું?’ આ પછી વૃદ્ધા અને તેની પુત્રીએ પણ કેસ દાખલ કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં એક ૩૦ વર્ષીય મહિલા પોતાના માતા-પિતા,ભાઈ અને બહેન સાથે રહે છે. વર્ષ ૨૦૧૩માં મહિલાના લગ્ન અંકલેશ્વરમાં થયા હતા. જાે કે, ૨૦૧૭માં પતિના મૃત્યુ બાદ તે પોતાના ૬ વર્ષના બાળક સાથે અહીંયા જ રહેતી હતી. 

આરોપી રિક્ષા ચાલકનું નામ સમીર શેખ છે. ઘણીવાર ઘરે આવવાના કારણે પરિવારના બધા સભ્યોએ તેને ઓળખવાનું શરૂ કરી દીધું હતું. ૨૭ ડિસેમ્બરની સાંજે છોકરીની માતા સરખેજ દરગાહ પર જવાના હતા. તેથી વૃદ્ધે સમીરને બોલાવ્યો. પરંતુ તે પછી તેણે તેને બોલાવવાની ના પાડી કારણ કે યુવતીની માતાની તબિયત લથડતી હતી.

જાેકે, સમીર તેના ઘરે આવ્યો હતો અને યુવતીના પિતા સાથે ઝઘડો શરૂ કર્યો હતો, ત્યારબાદ યુવતીના પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે ૨૮ ડિસેમ્બરની બપોરે, છોકરી તેના પુત્ર સાથે ઘરે હાજર હતી. ત્યારે સમીર શેઠ ઘરે આવ્યા અને બૂમ પાડી, ‘ગઈકાલે તારા પપ્પાએ મારી સામે ફરિયાદ કરીને શું બગાડ્યું?’ સમીરે પરિવારને ધમકી આપી હતી. આ પછી, યુવતી ઘરની બહાર આવી અને સમીરને ઝગડો ન કરવા કહ્યું. આ દરમિયાન સમીર એ યુવતીનો હાથ પકડ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કહ્યું, ‘હું તારી સાથે લગ્ન કરીશ. તારે જે કરવું હોય તે કરી લેજે. ત્યારબાદ તે નાસી ગયો હતો. ત્યારબાદ યુવતીએ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, ત્યારબાદ વેજલપુર પોલીસે સમીર શેઠ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.