અમદાવાદ-
દેશની 30 વર્ષ સુધી દરિયાઈ સુરક્ષા કરનાર INS વિરાટ તેની અંતિમ યાત્રા માટે મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી 19 સપ્ટેમ્બરના રોજ બે ટગ દ્વારા ખેંચીને અલંગ ભંગાણ માટે લાવવામાં આવી રહ્યું છે. જે મગંળવારે ઘોઘા નજીક સમુદ્રમાં આવી પહોંચ્યું છે. જ્યાં તેની કસ્ટમ, જીએમબી સહિતના અન્ય વિભાગોની જરૂરી કાગળો પરની કાર્યવાહી અને ક્લિયરન્સ બાદ 28 સપ્ટેમ્બરના રોજ અલંગના પ્લોટ નંબર 9 માં બ્રિચિંગ કરાશે.
ભારતીય નૌસેનામાં યુધ્ધ જહાજ તરીકે 30 વર્ષ સુધી ફરજ બજાવનાર આઇએનએસ વિરાટ સપ્ટેમ્બરમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ પર પહોંચશે. જયાં આ યુધ્ધ જહાજનું ડિમોલીશન કરવામાં આવશે. આ યુધ્ધ જહાજને 2017માં ફરજમાંથી નિવૃત કરવામાં આવ્યુ હતું.સ જે પછી કેન્દ્ર સરકારે તેન સ્ક્રેપ કરવાનો નિર્ણય લેતા તેને ગુજરાતમાં આવેલી શ્રીરામ શિપીંગમાં લાવવામાં આવ્યુ હતુ. અગાઉ અનેક રાજય સરકારે તેને ખરીદી મ્યુઝીયમમાં પરિવર્તીત કરવાની દરખાસ્ત મુકી હતી. પરંતુ વાત આગળ વધી ન હતી. આ યુધ્ધ જહાજને ઇ-ઓકશનમાંથી 26 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યુ હતુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments