દિલ્હી,
ભારતીય નૌસેના દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે તેણે સ્વદેશ નિર્મિત અદ્યતન એન્ટી ટોર્પિડો મિસાઈલ સિસ્ટમ 'મારીછ'ને પોતાના કાફલામાં સામેલ કરી છે જે આગળના મોરચાના તમામ યુદ્ધ જહાજ પરથી તાકી શકાશે. આ મિસાઈલ સિસ્ટમ કોઈ પણ જાતના ટોર્પિડો હુમલાને નિષ્ફળ બનાવવામાં નૌસેનાની મદદ કરશે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત 'મારીછ' પ્રણાલી હુમલો કરનાર ટોર્પિડોને ઓળખીને તેને ભ્રમિત કરવા અને નષ્ટ કરવા સક્ષમ છે. નૌસેનાએ જણાવ્યું કે, નિર્દિષ્ટ નૌસેન્ય મંચ પર લગાવવામાં આવેલા આ પ્રણાલીના મોડેલે તમામ પ્રાયોગિક મૂલ્યાંકન પરીક્ષણ સફળતાપૂર્વક પાર કર્યું હતું અને નૌસૈન્ય સ્ટાફ માપદંડ આવશ્યકતાઓને અનુરૂપ તમામ વિશેષતા પ્રદર્શનો પર તે ખરી ઉતરી હતી.
નૌસેનાના કહેવા પ્રમાણે 'મારીછ'ને સામેલ કરવામાં આવે તે સ્વદેશી સંરક્ષણ તકનીકના વિકાસની દિશામાં નૌસેના અને ડીઆરડીઓના સંયુક્ત સંકલ્પનું સાક્ષી છે તથા સરકારની 'મેક ઈન ઈન્ડીયા' પહેલ અને દેશના તકનીક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવાના સંકલ્પની દિશામાં એક મોટું પગલું છે.
સંરક્ષણ એન્ટરપ્રાઈઝ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આ વિધ્વંસક પ્રણાલીનું ઉત્પાદન કરવામાં આવશે. અગ્રિમ હરોળના તમામ યુદ્ધ જહાજા પરથી તાકી શકાય તે માટે સક્ષમ અદ્યતન ટોર્પિડો વિધ્વંસક પ્રણાલી મારીચ માટે એક કરાર સુધી પહોંચવાની સાથે આજે ભારતીય નૌસેનાને એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતામાં મોટી સફળતા મળી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments