મુંબઇ- 

સેલિબ્રિટીના ટ્‌વીટની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, તપાસમાં ભાજપના આઇટી સેલના વડા અને 12 ઈન્ફુએંસરના નામ બહાર આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે ક્યારેય કહ્યું નથી કે સેલિબ્રિટીની તપાસ કરવામાં આવશે.

દેશમુખે કહ્યું કે મારા નિવેદનને બદલીને રજૂ કરવામાં આવ્યું હતું છે, મેં ક્યારેય કહ્યું નથી કે સેલિબ્રિટીની તપાસ કરવામાં આવશે, લતા મંગેશકરજી આપણા માટે ભગવાન છે, આખું વિશ્વ સચિન તેંડુલકરનું સન્માન કરે છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે ભાજપના આઇટી સેલની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ, ટ્‌વીટ્‌સ તેમના પ્રભાવ હેઠળ કરવામાં આવી હતી કે નહીં. મોટો ખુલાસો કરતા અનિલ દેશમુખે કહ્યું કે, અત્યાર સુધીમાં ભાજપના ટોચના આઇટી ચીફ અને ૧૨ પ્રભાવકોના નામ બહાર આવ્યા છે.