દિલ્હી-

કેરળમાં સામાન્ય વર્ગમાં આર્થિક રીતે પછાત વર્ગને સરકારે મોટી રાહત આપી છે. કેરળ કેબિનેટે સામાન્ય કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગો માટે સરકારી નોકરીમાં 10 ટકા અનામત લાગુ કરવાને મંજૂરી આપી છે. સરકારનાં ર્નિણયથી અનામત મેળવવા માટેની હાલની કેટેગરીઝને અસર નહીં થાય.

સરકારની એક રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી પી વિજયનની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં આ સંદર્ભે ર્નિણય લેવામાં આવ્યો હતો. રિલીઝમાં જણાવાયું છે કે કેરળ રાજ્ય અને ગૌણ સેવાઓ નિયમોમાં અનામતની જાેગવાઈઓમાં સુધારો કરીને અનામતનો અમલ કરવામાં આવશે. નિવૃત્ત જજ કે.રાજગોપાલન નાયર આ પંચમાં સભ્ય હતા. પ્રકાશન મુજબ, કેબિનેટની બેઠકમાં મહિલાઓ અને બાળકો ઉપર સાયબર એટેકને ધ્યાનમાં રાખીને પોલીસ એક્ટમાં સુધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો જેથી ગુનેગારોને સખત સજા થઈ શકે.

આ સિવાય કેબિનેટે બીજાે મહત્વનો ર્નિણય લીધો છે. કેરળ કેબિનેટે બુધવારે સરકારી કર્મચારીઓનાં પગારમાં ઘટાડો કરવાનો ર્નિણય પાછો ખેંચી લીધો હતો. કોરોના વાયરસથી થતાં આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને, સપ્ટેમ્બરથી આવતા છ મહિના માટે પગારમાં ઘટાડો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન, સોશિયલ મીડિયામાં મહિલાઓ વિરુદ્ધ સાયબર એટેક મામલે પોલીસ એક્ટમાં સુધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર આ માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેશે.