દિલ્હી-

શ્રમ અને રોજગાર મંત્રાલયે ચાર શ્રમ સંહિતા હેઠળના નિયમોને અંતિમ રૂપ આપ્યું છે. તેનાથી ટુંકા સમયમાં અમલીકરણ માટે જાહેરનામુ બહાર પાડીને સુધારાઓને વાસ્તવિકતામાં લાવવામાં માર્ગ મોકળો થયો છે. રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત કર્યા પછી પગાર, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી અને આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ પરના ચાર વ્યાપક કોડને પહેલાથી જ સુચિત કરવામાં આવ્યું છે પરંતુ આ ચાર કોડના અમલ માટે નિયમોને સુચિત કરવાની જરૂર છે પરંતુ આ ચાર કોડના અમલ માટે નિયમોને સુચિત કરવાની જરૂર છે. હવે મંત્રાલયે ચાર કોડના ડ્રાફટ નિયમો અંગે પરામર્શ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

જે આખરે 44 કેન્દ્રીય મજૂર કાયદાઓને તર્કસંગત બનાવશે. સંસદે ૨૦૧૯ માં પગાર પરનો કોડ પસાર કર્યો હતો, જયારે અન્ય ત્રણ કોડ્‌સે 2020 માં બંને ગૃહોમાંથી મંજૂરી મેળવી હતી. મંત્રાલય ચારેય કોડને એક સાથે અમલમાં મૂકવા માંગે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર નવા નિયમો હેઠળ ઓવરટાઇમની હાલની સમય મર્યાદા બદલી શકે છે.

નવા નિયમો હેઠળ જાે નિર્ધારિત કલાકો કરતા 15 મિનિટથી વધુ કામ કરવામાં આવે તો તેને ઓવરટાઇમની કેટેગરીમાં મૂકવામાં આવશે અને કંપનીએ આ માટે કર્મચારીને ચુકવણી કરવી પડશે. અગાઉ આ સમય મર્યાદા અડધો કલાક હતી. શ્રમ મંત્રાલયે આ સંદર્ભે તમામ હોદ્દેદારો સાથે પરામર્શ પૂર્ણ કરી છે. આ કેસ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે અને નિયમો લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

સરકારને આશા છે કે આ નવા નિયમોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારણા સાથે કામદારોની સ્થિતિ પણ બદલાશે. કરાર કામદારો લાભ નવા કાયદા હેઠળ કરાર પર કામ કરનારા અથવા થર્ડ પાર્ટી હેઠળ કામ કરનારાઓને મોટી રાહત આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આમાં, આવી જાેગવાઈઓ કરવામાં આવી છે જેથી કરાર પર કામ કરતા વ્યકિતને પગાર ન આપી શકાય. સરકાર, ટ્રેડ યુનિયનો અને ઉદ્યોગ સાથેની બેઠકમાં ચર્ચા કર્યા પછી, આ બાબતે સંમતિ થઈ છે કે ફકત મોટા નિયોકતા એટલે કે કંપનીઓ જ તેમને સંપૂર્ણ પગાર મળે તે સુનિશ્યિત કરશે.