દિલ્હી-
લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ સંસદનું ચોમાસું સત્ર ૧૯ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. આ અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટિ્વટર પર જણાવ્યું હતું કે, સંસદનું આગામી ચોમાસું સત્ર ૧૯ જુલાઇથી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે. જાેકે, તેમણે ગૃહની કાર્યવાહીના સમય અંગે માહિતી આપી ન હતી.
મહત્વનું છે કે, કોરોના મહામારી બાદ સંસદના બંને સત્રોની કાર્યવાહી માટેની સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન ૨૦ બેઠકો યોજાવાની સંભાવના છે. જે લગભગ એક મહિના સુધી ચાલી શકે છે. સામાન્ય રીતે સંસદનું ચોમાસું સત્ર જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થાય છે અને સ્વતંત્રતા દિવસ પહેલા સમાપ્ત થાય છે. ગયા મહિને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે સંસદનું ચોમાસું સત્ર જુલાઇના તેના સામાન્ય સમય મુજબ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે. કોરોના વાયરસ મહામારી શરૂ થઈ ત્યારથી સંસદના ત્રણ સત્રોનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. સરકારે ગયા વર્ષે આખું શિયાળુ સત્ર રદ કર્યું હતું. જ્યારે ચોમાસું સત્ર સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. જે સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થાય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments