ચોમાસામાં આવેલ પુરમાં ઓવારા પરથી ફરી કાદવ-કીચડ થઈ જતાં કામનાથ મહાદેવ પાસે વિશ્વામિત્રી નદીના ઐતિહાસિક ઘાટના કંડાર થયેલા પગથિયાની કાવડ યાત્રા સમિતિ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં વાવ પાસે ગત વખતે મળી આવેલ મૂર્તીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરાઈ હતી. ઉપરાંત અનેક અલભ્ય શીલ્પ, કલાકૃતીઓની પણ સફાઈ કરાઈ હતી. જ્યારે મીઠા પાણીનું ઝરણું પણ જાેવા મળ્યું હતું.