પોતે જ અને પોતાના આકાઓએ ઘડેલી આચારસંહિતાઓ સાથે સ્વાર્થવશ સગવડિયા બાંધછોડ કરી કાળમુખા કોરોનાને મોકળું મેદાન આપનાર રાજકારણીઓને ન્યાયના કઠેડામાં ઊભા કરી તેમને ગંભીર સજા સુનાવાય એવા કોઈ સંજાેગો-સ્વાતંત્ર્ય અને ખાસ તો તટસ્થ વ્યવસ્થા તંત્ર જ નથી. જાે એમને પોતાને કોરોના થાય તો આ કોરોના સ્પ્રેડરો મોંઘીદાટ હોસ્પિટલમાં સરકારી ખર્ચે ઈચ્છિત સારવાર આસાનીથી મેળવી શકે પણ એમના પાપે ફેલાયેલા કોરોનાના શિકાર એવા મધ્યમવર્ગીય અને ગરીબો બિચારા કયાં જાય? અને શું કરે?