સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં એક એવુ ગામ છે, જે ગામનુ નામ ક્યારે પણ પોલીસના ચોપડે ચઢ્યું જ નથી. અહીં ક્યારેય કોઈપણ પ્રકારની ચુંટણી યોજાઈ નથી. એક આદર્શ ગામ કે જ્યા વ્યસન મુક્તિના પણ લોકોએ શપથ લીધા છે. આ ગામમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના નામ પ્રમાણે ફળીયાના નામ છે. એક સાથે તમામ જીલ્લા એક ગામમાં ક્યાથી? અહીં નર્મદા, તાપી, બનાસકાંઠા, મહેસાણા જેવા ૨૮ જિલ્લાના નામના ગામમાં ફળીયા છે. સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામની આ છે કહાની. આ જીલ્લા પર ફળીયાના નામ રાખવાનો વિચાર સરપંચને બાળકો માટે આવ્યો કારણ કે ગામના વડિલોથી લઈ બાળકો ગુજરાતના જીલ્લાના નામ યાદ રાખી શકે. જેમ સમગ્ર ગુજરાત એક જુથ બનીને રહે છે તેમ આ ગામના લોકો પણ એક જુથ બનીને રહે છે, ક્યારેય કોઈ લડાઈ કે ઝઘડ઼ા પણ થતા નથી. આ ગામની બીજી એક ખાસીયત એ પણ છે કે, અહીં જ્યારથી પંચાયત અને દુધ મંડળી અસ્થિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી. જીહાં, ગામના તમામ પ્રતિનિધીઓ સરપંચ કે ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તમામ લોકોને ગામ લોકો સમરસ જ ચુંટે છે. ક્યારેય અહીં ઈલેક્શન પણ નથી યોજાયુ. તો ગામના તમામ યુવાનો અને વડિલો ખેતી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે અને તમામ લોકો એક જુથ બનીને અને સંપીને રહે છે. ક્યારેય કોઈ અણબનાવ પણ જોવા મળતા નથી. વ્યસન મુક્તિ માચે સરકાર વિવિધ જાહેરાતો આપે છે છતા પણ યુવાનો મદિરા પાન, બીડી સીગારેટ અને તમાક સહિત મસાલાઓ ખાતા હોય છે અને પોતાનુ સ્વાસ્થ ખરાબ કરતા હોય છે, ત્યારે આ ગામમાં વ્યસન માટે પણ એક કડક નિયમ બનાવ્યો છે કે, કોઈ દુકાનદાર કોઈ તમાકુ કે બીડીનુ વેચાણ કરે તો તેને ૫૦ હજાર દંડ તો કોઈ વ્યક્તિ વ્સસન કરતો ઝડપાઈ જાય તો તેને ૧૦ હજારથી વધુનો દંડ કરવામાં આવે છે અને આ નિયમને લઈને ગામલોકો હાલમાં વ્યસન મુક્ત બન્યા છે અને કોઈ વ્યક્તિ હાલમાં વ્યસન પણ કરતુ નથી. તો લોકડાઉનમાં પણ ગામે સાથ આપ્યો હતો અને જેના કારણે હાલમા કોરોનાનો કેસ નથી તો ગામના તમામ લોકો સરપંચ દ્રારા બનાવવામાં આવતા નિયમનું પાલન પણ કરી રહ્યા છે.