દિલ્હી-
ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને તેમનું નામ લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે.
ખાનગી ક્ષેત્રનું આ પહેલું ઉપગ્રહ હશે જે બીજા અંતરિક્ષ મિશનની માફક ભગવદ ગીતા, વડાપ્રધાન મોદીનો ફોટો અને અન્ય 25000 લોકોના નામોને લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે. સ્પેસકિડ્સ ઈન્ડિયા તરફથી આ નેનો સેટેલાઈટને વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ એક એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓ વચ્ચે અંતરિક્ષ વિજ્ઞાનને પ્રોત્સાહન આપે છે અને તેને મહાન વૈજ્ઞાનિક સતીશ ધવન દ્વારા બનાવવામાં આવી હતી. આ સેટેલાઈટ અન્ય ૩ પેલોડ્સને પણ પોતાના સાથે લઈ જશે.
આ ૩ પેલોડ્સ પૈકીનું એક અંતરિક્ષ વિકિરણ, મેગ્નેટોસ્ફીયરનું અધ્યયન અને એક ઓછી વીજ પહોળાઈના ક્ષેત્રમાં સંચાર નેટવર્કનું પ્રદર્શન કરશે. સ્પેસકિડ્સ ઈન્ડિયાના સંસ્થાપક અને સીઈઓ ડૉ. કેસનના કહેવા પ્રમાણે આ અંતરિક્ષમાં તૈનાત થનારૂં તેમનું પહેલું સેટેલાઈટ હશે જેને લઈ તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.
અંતરિક્ષમાં જે 25000 લોકોના નામ મોકલવામાં આવશે તેમાં 1000 નામ ભારતની બહારના લોકોના પણ છે અને જે લોકોના નામ મોકલવામાં આવશે તેમને બોર્ડિંગ પાસ આપવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments