વિક્કી જાેષી,તા.૪ 

કેવડિયા કોલોની નજીક ૫ એપ્રિલ ૧૯૬૧ ના નવાગામ ખાતે તત્કાલીન સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા યોજનાનો પાયો નખાયો હતો. તે વખતે યોજનાનો અંદાજીત ખર્ચ ૩૩૩૩ કરોડ આંકી ૧૦ વર્ષમાં યોજના પૂર્ણ કરવાની ધારણા હતી. જોકે અંકે અંતરાયો, વિરોધ, પુનવરસન સહિતની સમસ્યા વચ્ચે ૧૨૧.૯૨ મીટરથી ૩૦ ગેટ મૂકી ડેમની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર લઈ જવાની કામગીરી આખરે પૂર્ણ થઈ હતી. હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર નર્મદા યોજના ૭૦,૦૦૦ કરોડથી વધુને ખર્ચને સ્પર્શી ગઈ છે.

હાલ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક અને સુપ્રિમની પૂર્ણ ડેમ ભરવાની મજૂરી વચ્ચે ૧૩૮.૬૮ મિટરની સર્વોચ્ચ સપાટી સર કરવા નર્મદા ડેમ આગળ વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૪ માં ૪૬૭૦ કરોડ ના ખર્ચે સ્થપાયેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસના ૧૧ ટર્બાઇન કુલ ક્ષમતા ૧૪૫૦ મેગાવોટ એ ૧૬ વર્ષમાં કુલ ૬૩૮૬ કરોડ યુનિટ એટલે કે સરકારી કિંમત મુજબ ૧૦૮૨૫ કરોડની વીજળી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ડેટા મુજબ ઉત્પન્ન કરી છે. જેને જોતા ડેમ પાવર હાઉસ ખર્ચ ૪૬૭૦

કરોડ અને ૮૪ લાખ ઘનમીટર કોન્ક્રીટ ખર્ચ ૧૬૯૦ કરોડ સરભર થઈ ગયો છે.