ગાંધીનગર-

રાજ્યભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો ને તેમજ જાહેરમાં થૂકનારા લોકો માટે દંડની રકમ વધારવાની જાહેરાત કરી છે.

આગામી 1 ઓગસ્ટથી માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ આ દંડની રકમ રૂપિયા 200 છે, તે હવે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.