નવી દિલ્હી 

બીસીસીઆઈએ આગામી એન્યુઅલ જનરલ મીટિંગ અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની આ 89મી બેઠક 24મી ડિસેમ્બરે યોજાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રાજ્ય ક્રિકેટ સંઘોને આ જાણકારી આપી હતી.

આ બેઠક પહેલા 22મી ડિસેમ્બરે તમામ સભ્યોનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે, જેના પરિણામ 23મી ડિસેમ્બરે આવશે. આ ઉપરાંત બેઠકમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે અગાઉ આ બેઠક રદ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મોટેરામાં ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમશે.