દિલ્હી-

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 36,604 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોવિડ -19 ના કુલ કેસની સંખ્યા વધીને 94 લાખ 99 હજાર 414 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ -19 ને કારણે 501 લોકોનાં મોત પણ થયાં છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 1 લાખ 38 હજાર 122 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના વાયરસના સક્રિય કેસની કુલ સંખ્યા 4 લાખ 28 હજાર 644 છે.

દેશમાં રીકવરી રેટ વધીને  94.03% પર પહોંચી ગયો છે, જ્યારે કોરોનાથી મૃત્યુ દર 1.45% નોંધવામાં આવ્યો છે. દેશમાં સક્રિય દર્દીઓ હજી પણ 4.51% છે, જ્યારે પોઝિટિવિટી રેટ 3.33% છે. છેલ્લા 24 કલાકમાં, 43,062 દર્દીઓ કોરોના ચેપથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં દેશમાં સાજા દર્દીઓની કુલ સંખ્યા વધીને 89 લાખ 32 હજાર 647 થઈ ગઈ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10 લાખ, 96 હજાર, 651 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 14 કરોડ, 24 લાખ, 45 હજાર 949 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.