વડોદરા, તા.૨૬

મલ્લખંબ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઉજ્જૈન ખાતે તા. ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારી ૩૨ મી સબજુનિયર ૩૩ મી જુનિયર, અને ૩૬ મી સિનિયર નેશનલ મલ્લખંબ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યની ટીમમાં પ્રો. માણિકરાવજીના શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિરના પ્લેયરોની પસંદગી થઈ છે. આ સ્પર્ધામાં જુનિયર ગર્લ્સમાં નૂપુર બારોટ, નેત્રા બારોટ, અમૃતા મરાઠે, હેશા નાગુરકર, ખુશી પટેલ અને રિદ્ધિ જાધવ. જ્યારે જુનિયર બોઈઝમાં શૌર્યજિત ખૈરે, ક્રુશલ પવાર, ક્રિશ ગાંધી, દેવાંશ તળેગાવકર અને તન્મય કવળણકર તેમજ કોચ તરીકે તૃપ્તિ નાગુરકર અને ભક્તિ કેસારકર જુનિયર બોઈઝમાં કોચ તરીકે જીત સપકાળ અને મેનેજર તરીકે રણજીતકુમાર ખૈરે ટીમ સાથે જાેડાશે.આવતિકાલે ટીમ રેલ્વે દ્વારા ઉજ્જૈન ખાતે રવાના થશે.