ન્યુ દિલ્હી-
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડએ ૧૦માં બોર્ડના રિઝલ્ટની તારીખોની જાહેરાત કરી છે. નોટિફિકેશન મુજબ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૨૦મી જૂન સુધીમાં જાહેર કરી દેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષાને કોવિડ-૧૯ મહામારીના કારણે રદ કરી દેવાઈ હતી.
આ અગાઉ શનિવારે બોર્ડની રદ થયેલી પરીક્ષા માટે માર્કેટિંગ પોલીસીની જાહેરાત કરી હતી. આ પોલીસી હેઠળ પ્રત્યેક વિષયમાં ૨૦ નંબર ઈન્ટરનલ અસેસમેન્ટ અને ૮૦ નંબર સત્ર દરમિયાન થયેલી પરીક્ષાઓ પર આધારિત હશે. સીબીએસસીના એક્ઝામિનેશન કંટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું કે શાળાઓએ એ સુનિશ્ચિત કરવાનું રેહશે કે તેમના દ્વારા અપાયેલા નંબર ૧૦માં ધોરણની ગત બોર્ડ પરીક્ષાઓમાં શાળાના પ્રદર્શન મુજબ હોય.
શાળાના પરિણામોને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રિન્સિપાલના નેતૃત્વમાં ૮ સભ્યોની સમિતિ બનાવવાની રહેશે. આવામાં જો શાળા ઈવેલ્યુએશનમાં પક્ષપાતપૂર્ણ અને ભેદભાવવાળું વર્તન કરતી જણાશે તો તેના પર ભારે દંડ થશે કે પછી તેમની માન્યતા રદ કરી નાખવામાં આવશે. ભારદ્વાજે કહ્યું કે આ કમિટી સીબીએસઈને ૧૧ જૂન સુધી બાળકોના નંબર સોંપશે અને ત્યારબાદ અમે ૨૦ જૂન સુધીમાં રિઝલ્ટ જાહેર કરી દઈશું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments