રાજકોટ-

ગોંડલના હઝુર પેલેસના રાજા અને રાણીને રિપોર્ટ પોઝિટિવગોંડલ રાજવી પરિવાર કોરોનાની ઝપટમાંગોંડલના મહારાજા સાહેબ અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવહઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલનો રાજવી પરિવાર પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા જ્યોતીન્દ્રસિંહજી જાડેજા-મહારાજા સાહેબ અને મહારાણીકુમુદકુમારીબા જાડેજા-મહારાણી સાહેબ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ગોંડલના હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.