પાદરા


પાદરામાં ભાદરવા સુદ-૩ (ત્રીજ) એટલે કે કેવડાત્રીજ હોઈ આજે પાદરાના મહાદેવ મંદિરમાં કુમારીકાઓએ સારા પતિની પ્રાપ્તિ માટે અને સોભાગ્યવતી સ્ત્રીઓએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ભગવાન મહાદેવજીની કેવડાત્રીજના દિવસે પૂજા કરનારને ઈચ્છિત ફળપ્રાપ્તિ થતી હોય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓના પતિના આરોગ્યની પ્રાપ્તિ સાથે દીર્ઘાયુ થશે ત્યારથી કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે.

પાદરાના મહાદેવના વિવિધ મંદિરોમાં કુમારીકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડાત્રીજની ઉજવણી કરી હતી.