મહેસાણા,  મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ૧૨૫ ઘર અને ૧૪૦૦ ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ ચૌધરી કે જેમણે બીએસઇ એગ્રી.નો અભ્યાસ કર્યો છે.તેમનાં પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલંત કારકિર્દી પ્રાપ્ત કરે તેવાં ખ્વાબ જાેયાં હતાં. નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. વિસનગર ખાતેની સહજાનંદ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ૯૪ % મેળવી નિસર્ગે અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાના પિતાને અમદાવાદમાં ભણાવવાનો ખર્ચ એક સામાન્ય ખેડૂત હોવાને કારણે ઓછી આવકના કારણે પરવડે તેમ ન હતો.ઊંચી ટકાવારીને કારણે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી નિસર્ગે એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસની શરૂઆત કરી હતી અને અભ્યાસ કરી વર્ષ-૨૦૨૦માં બીકોમની ડીગ્રી મેળવી હતી. નિરમા કોલેજમાં એમબીએનું મળેલું એડમિશન તેણે જતું કર્યું કારણ કે તેની નજર આઈઆઈએમ તરફ હતી. પોતાના પિતા પાસે આર્થિક સગવડ નહિ હોવાથી ઘરે બેસીને લોકડાઉનમાં જાતે મહેનત કરી એક વાર ફેલ થયા પછી હિંમત હાર્યા વિના ૮૫ ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં ૮ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજાેને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો. ૨ થી ૨.૫ લાખ પરીક્ષાર્થીઓ પૈકી સિલેકટ થયેલા ૫૦૩ તારલાઓમાં નિસર્ગને સ્થાન મળ્યું હતું. આમ નાનકડા ગામના નીચલા મધ્ય વર્ગના ખેડૂત પુત્રે પોતાનાં માતા પિતાના ઓરતા અધૂરા રહેવા દીધા નથી.કોમર્સની ડિગ્રી, એમબીએમાં અભ્યાસ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળ થવા નાણાંકીય વ્યવસ્થા થાય તેટલી પરિવારની આવક ન હતી. પુત્રની કારકિર્દીનું ઘડતર કરવા માટે નાણાંની ખેંચ બાધારૂપ ન બને તે માટે તેમણે પોતાની બે એકર જમીન તારણમાં મુકી દીધી હતી અને નાણાં ખૂટી પડતાં શૈક્ષણિક લોન મેળવી હતી. પુત્રને ભણાવવા પૈસાની ખેંચ બાધક ન બને તે માટે તેમણે પશુ પાલનનો પુરક વ્યવસાય પણ અપનાવ્યો હતો. વિસનગર તાલુકાના નાનકડા ગામ રાવળાપુરામાં પોતાની માલિકીની બે એકર જમીન તારણમાં મુકી પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવાનું ગરીબ ખેડૂતનું સપનું સાકાર થયું છે.