વડોદરા

જંબુસરથી વડોદરા આવી રહેલી મુસાફર ભરેલ એસ.ટી.બસને શહેરના રાજમહેલ રોડ પર લક્ષ્મી વિલાસ પેલેસના ગેટ પાસે ઓવરટેક કરી રહેલા એક્ટિવાચાલકને બચાવવા જતાં એસ.ટી. બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એસ.ટી. બસ રોડ પરના ડિવાઈડર પર ચઢાવી દઈને ઝાડ સાથે અથડાઈ હતી. આ બનાવમાં બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોંટયા હતા. આ મુસાફરો પૈકી કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યાંથી તેઓને ૧૦૮ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.