અમદાવાદ

અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીએ આત્મહત્યા કરી હતી. પાલડી પોસ્ટેના રાઇટર હેડ એકાઉન્ટના ઉમેશકુમાર ભાતીએ લમણે ગોળી મારી હતી.. સવારના સમયે તેઓ ફરજ પર આવ્યા બાદ તેમણે ઓફિસનો દરવાજો બંધ કરી દીધો અને બાદમાં તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..


રિવોલ્વર વડે કોન્સ્ટેબલે પોતાને ગોળી મારી હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટના બાદ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓએ તેમને તુરંત હોસ્પિટલ ખસેડ્યા. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યા પહોંચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.


ઉલ્લેખનીય છે કે મૃતક હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયા પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા. જોકે તેમણે આપઘાત શા માટે કર્યો છે.તે રહસ્ય હજુ પણ અકબંધ છે સાથેજ પોલીસ પણ આ ઘટનાને લઈને ચોંકી ગઈ છે.