આણંદ, તા.૨૨
દેશભરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને નગરચર્યાએ નીકળે છે. આણંદ જિલ્લામાં આ પ્રસંગે લગભ ૧૩ સ્થળોએ રથાયાત્રા કાઢવામાં આવતી હતી અને ઉત્સવને દર વર્ષે રંગેચંગે ઉજવવામાં આવતો હતો. દેશમાં મુખ્ય રથયાત્રા ઓરિસાના જગ્ગનાથ પુરી ખાતે નીકળે છે.
આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે માસ ગેધરિંગ પર રોક મૂકવામાં આવી છે ત્યારે સુપ્રીમે ગત ૧૮ જૂને એક ફેંસલામાં રથયાત્રા પર પણ બેન લગાવી દીધી હતી. આ બેનને હટાવવા માટે સુપ્રીમમાં ધડાધડ ૧૬ પિટિશન કરવામાં આવી હતી. પિટિશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, છેક ૧૭૩૭ની સાલથી આ પરંપરા ચાલી આવી છે.
૨૮૪ વર્ષની આ પરંપરાને જે કોઈ વ્યવસ્થા કરવી પડે એ કરીને પણ તૂટતી બચાવી શકાય છે. આ પિટિશન પર હિઅરિંગ થયું અને આજે સુપ્રીમે પોતાનો ફેંસલો જ બદલી નાખ્યો હતો.
ઓરિસાનું શહેર છે પુરી. હિન્દુ માન્યતાઓમાં ખાસ સ્થાન ધરાવે છે. અહીંના જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રથયાત્રા નીકળે છે. તિથિ મુજબ અષાઢી બીજના રોજ આ પરંપરા મનાવવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય અલગ-અલગ રથમાં બિરાજીને જગન્નાથ મંદિરથી ગુંડિચ્ચા મંદિર લઈ જવામાં આવે છે. આ રથયાત્રામાં દેશ-વિદેશના ભક્તો જાડાઈ છે. લાકડીના બનેલાં ભવ્ય રથને ભક્તો જ ખેંચીને લઈ જાય છે. લગભગ દસ લાખ લોકો દર વર્ષે પુરીની રથયાત્રામાં ભાગ લે છે.
અમદાવાદની રથયાત્રા દરમિયાન જ આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ પણ ભગવાનની નગરચર્યા માટે રથયાત્રાનંં આયોજન કરવામાં આવે છે. હાલની કોરોના વાઇરસની મહામારીની Âસ્થતિમાં વર્ષોની પરંપારમાં પહેલી વખત આણંદ જિલ્લામાં પણ આણંદ, વિદ્યાનગર, પેટલાદ, ખંભાત સસહિત ૧૩ સ્થાન પરથી પ્રસ્થાન થતી રથયાત્રા આયોજનને સ્થગિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે દર વર્ષે વિશેષ ધાર્મિક મહત્વ સાથે સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા પરંપરાગત રથયાત્રા આયોજન કરવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન નગરચર્યાએ નીકળતાં તેનાં દર્શનનો લાહવો ભક્તો લેતાં આવ્યાં છે. દર વર્ષે શહરના રાજમાર્ગો પર ઠાઠમાઠથી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી રથયાત્રા કાઢવામાં આવે છે. નિજ મંદિરે સવારથી રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવે છે. ત્યારબાદ જાહેર માર્ગો, ગલીઓમાંથી પસાર થતી રથયાત્રાનો સૈ કોઈ લહાવો લેતાં હોય છે. શ્રદ્ધાળુઓ આ ઉત્સવમાં ખુબ આસ્થા રાખતા હોય છે.
આ વર્ષે સરકારની ગાઇડલાઇન્સ અને કોરોના વાઇરસની મહામારીને કારણે જાહેર સ્વાસ્થ્યને જાખમ રહેલું હોવાથી આણંદ જિલ્લામાં દર વર્ષે આયોજિત કરવામાં આવતી તમામ રથયાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, હાલમાં કોરોના મહામારી સંદર્ભમાં જાહેર સ્વાસ્થ્યની સલાર્મંતી માટે, કોરોના સંક્રમણ અટકાવવા રથયાત્રા પરિભ્રમણ કરવું યોગ્ય નથી. માત્ર મંદિર પરિસરમાં જ ભગવાને રથમાં બિરાજમાન કરીને વિધિવત પૂજા અર્ચના કરવામાં આવશે.
શ્રધ્ધાળુ ભાવિકો દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક વગેરે તકેદારી રાખીને મંદિરના સમય અનુસાર દર્શન કરી શકશે. આણંદ જિલ્લામાં કુલ ૧૩ સ્થળોએ પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ તમામ સ્થળે રથયાત્રા જાહેરમાર્ગો પર કાઢવાના બદલે મંદિરમાં જ વિધિવત પૂજા કરવામાં આવશે. ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજની પરિÂસ્થતિને નજરમાં રાખીને રથયાત્રાના આયોજનને સ્થગિત રાખવાના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે. આણંદમાં હાલ કોરોના વાઇરસની Âસ્થતિ ગંભીર છે. આવાં સમયે લોકો ભેગાં ન થાય તે સમાજના હિતમાં છે. છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને નિજ મંદિરમાં ભગવાનના દર્શનનો લહાવો લઈ શકાશે.
રથયાત્રાની પૌરાણિક માન્યતાઓ શું છે?
આમ તો ઘણી માન્યતાઓ છે, પણ બે સૌથી વધારે સાંભળવામાં આવતી માન્યતા છે. પુરીની રથયાત્રાની વાત કરીયે તો પહેલી એ કે, એવું માનવામાં આવે છે કે, પુરીનું ગુંડિચ્ચા મંદિર કૃષ્ણ, બલરામ અને સુભદ્રાનું માસીનું ઘર છે. વર્ષમાં એક વખત જેમ તમે અને હું વેકેશનમાં મામા-માસીના ઘરે જઈયે છીએ, એ રીતે ભગવાન પણ જાય છે. આ રથયાત્રા એ જ પ્રસંગ છે. બીજી માન્યતા મુજબ, ભગવાન કૃષ્ણ અને બલરામના મામા કંસે બંનેને મથુરા આમંત્રિત કર્યાં હતાં. કંસના ઈરાદાઓ ખરાબ હતાં અને તે કૃષ્ણને મારવા માગતો હતો.
આભાર - નિહારીકા રવિયા કંસે અક્રૂરને રથ સાથે ગોકુળ મોકલ્યો હતો. કૃષ્ણ અને બલરામ રથ પર સવાર થયાં અને મથુરા જવા નીકળ્યાં હતાં. પ્રસ્થાનના આ દિવસને પુરીના ભક્તો રથયાત્રા તરીકે ઉજવે છે.
ચરોતરમાં લગાતર ૯૪મી વખત આયોજિત થનારી રથયાત્રા પહેલી વખત સ્થગિત!
અષાઢી બીજ નિમિત્તે આણંદ જિલ્લાના પેટલાદ, આણંદ, વિદ્યાનગર ઈસ્કોન મંદિર, સામરખા, નાપાડ તળપદ, અડાસ, ઓડ, ભાદરણ, વિરસદ, કાવિઠા, બોરસદ અને ખંભાત એમ કુલ ૧૩ જેટલી રથયાત્રા પરંપરાગત રીતે આયોજિત કરવામાં આવે છે. આ બધી રથયાત્રાની શોભાયાત્રા કોરોના મહામારી સંદર્ભમાં મોકૂફ રાખવામાં આવી છે. પેટલાદના રણછોડરાયજી મંદિરેથી વર્ષ ૨૦૨૦ની રથયાત્રા ૯૪મી વખત આયોજિત કરાઈ હતી. આટલાં વર્ષોની પરંપરામાં પ્રથમવાર જ મોકૂફ રાખવામાં આવશે.
Comments