ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અને ભારતીય તેમજ વિદેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન બનાવવા માટે અમદાવાદ ખાતે આગામી તા. ૯ જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરાયું છે. આ અંગે માહિતી આપતા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજયમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન બનાવવા માટે અમદાવાદ ખાતે આગામી તા. ૯ જાન્યુઆરી-૨૦૨૨ન રોજ એક સ્ટાર્ટઅપ સમિટ યોજાશે. આ ઇવેન્ટના મુખ્ય મહેમાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમિટનું ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. જયારે અન્ય કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તેમજ કેન્દ્રીય આઈટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહેશે. અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટઅપ સમિટ દરમિયાન યુનિકોર્ન કોન્કલેવમાં સંશોધકો અને અગ્રણી રોકાણકારો ભાગ લેશે. ગુજરાતના ૧૦થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તેમજ ૧૨૦૦થી વધુ સ્ટાર્ટઅપ ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતમાંથી ૫૦૦ જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ તથા સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય કો-ઓર્ડિનેટર અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં સોફ્ટબેંકના કન્ટ્રી હેડ મનોજ કોહલી, ભારત પે ના સહસ્થાપક શાશ્વત નાકરાણી, ઓયો રૂમ્સના સીઈઓ રિતેશ અગ્રવાલ, સીઆરઈડી (ઝ્રઇઈડ્ઢ)ના સ્થાપક અને સીઈઓ કુનાલ શાહ, હંડ્રેડ એક્સ.વીસી (૧૦૦ઠ.ફઝ્ર)ના સ્થાપક સંજય મેહતા, ઈન્ટેલ ઈન્ડિયાના સીઈઓ નિવૃત્તિ રાય, અપના (એપીએનએ-છॅહટ્ઠ)ના સ્થાપક અને સીઈઓ નિર્મિત પરીખ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમના વિચારો વ્યક્ત કરશે. અંજુ શર્માએ ઉમેર્યુ હતું કે, આ સમિટમાં ભારત તેમજ દુનિયાભરના સ્ટાર્ટઅપ ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે. આ ઇવેન્ટમાં ભાગ લેનારને પોતાના અનુભવો પ્રસ્તુત કરવાની, નવું શીખવાની તથા સુધારો કરવાની તક પૂરી પાડશે.