નર્મદા-
મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. સોમવારે ઉપરવાસમાંથી 1.50 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.
રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને પીવા માટે પાણી પહોંચાડવા માટે સરદાર સરોવર સક્ષમ છે. ડેમના દરવાજા લગાવતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. નર્મદા બંધ સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે, એટલે આ વર્ષ ખૂબ સારું છે. કેમ કે, આ વર્ષે પાણીની તંગી જરાય નહીં પડે. જેના માટે નર્મદા ડેમ સક્ષમ થવા જઇ રહ્યો છે. જો કે, સરદાર સરોવર ડેમના દરવાજા 121.92 મીટર પર બેસાડવામાં આવ્યા છે. ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે. જો આજે દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ ઓવરફ્લો હોત. જો કે, હાલ ડેમના દરવાજા પર 6 મીટર સુધી પાણી ભરાઈ ગયું છે. ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સપાટીમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. જે સોમવારે નર્મદા ડેમની સપાટી 127.24 મીટર પર પહોંચી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments