મોરબી-

મોરબીમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને માર મારીને મોતને ઘાટ ઉતારી દઈ લાશ દફનાવી દેતા ચકચાર મચી ગઈ છે. મોરબીના ક્રાંતિનગર ગામે જમીનમાં દાડી દીધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ અંગે ચણીયા હોવાની ઓળખ મળી હતી અને આ યુવાનની હત્યા થયાનું ખૂલ્યું હતું. આથી મૃતકના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા બહેન સુનિતાબેન સંજયભાઈ કોળીએ આ હત્યાના બનાવની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક શૈલેષભાઈ અંગે ચણીયાના પત્ની યાસ્મીનબેન ઉર્ફે આરતી શૈલેષભાઈ અંગે ચણીયાને મોરબીના ક્રાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજાેઠી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આથી યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઈ અંગેચણીયા તેમના પતિનું ઘર છોડીને જુમાં સાંજણ માજાેઠી સાથે ઘર માંડીને રહેવા લાગ્યા હતા.

આ બાબત તેના પતિ શૈલેષભાઈને મનદુઃખ લાગતા આ વાતનો ખાર રાખીને પત્નીએ તેમને ગત તા.૨૭ના રોજ ક્રાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજાેઠીના ઘરે બોલાવ્યા હતા, જ્યાં દગો કરીને પત્ની યાસ્મીન અને તેના પ્રેમી જુમાં સાંજણ માજાેઢીએ સાથે મળીને પતિ શૈલેષભાઈને માર મારીને હત્યા કરી નાંખી હતી અને તેમની લાશને જુમાં સાંજણ માજાેઠીના ઘર પાછળ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદના આધારે પત્ની અને પ્રેમી સાથે હત્યાનો ગુનો નોંધી આ બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.