બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત રવિવારે ફાંસી લગાવી અને મોતને વહાલું કર્યું હતું, ત્યારે તેના ચાહકો તેમજ બોલિવૂડમાં શોકનું વાતાવરણ છવાયું છે અને લોકો આ ખબરને હજુ પણ માનવા તૈયાર થઈ રહ્યા નથી. સોશિયલ મીડિયા પર તેમને ન્યાય અપાવવા માટેની માગણી થઈ રહી છે ત્યારે હવે તેમના જીવન અને મોતની કેમેસ્ટ્રી પર ફિલ્મ બનાવવાનું એલાન પણ થઇ ચૂક્યું છે ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.સુશાંતના મોત અંગે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ તેની વચ્ચે સુશાંતસિંહ રાજપૂતના જીવન પર એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરીને ફિલ્મ નિર્માતા વિજય શેખર ગુપ્તાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.તેમણે જે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે તે ફિલ્મનું નામ "Suicide or Murder" રાખવામાં આવ્યું છે, અને પોસ્ટર સામે આવ્યા બાદ જ લોકો ફિલ્મને લઈને ઘણા બધા ઉત્સુક નજરે પડી રહ્યા છે. 

જોકે પોસ્ટરમાં એવું કંઈ લખવામાં આવ્યું નથી કે દાવો કરવામાં આવ્યો નથી કે ફિલ્મ સુશાંતની જિંદગી પર બનેલી છે, પરંતુ પોસ્ટર પર લખેલી ટેગલાઇન પછી લોકોએ જસ્ટિસ ફોર સુશાંત અને મિસ યુ સુશાંત... એવી કોમેન્ટ લખવાની શરૂ કરી દીધી છે.સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાના નિધન બાદ હજુ સુધી તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી સહિત 13 લોકોના નિવેદનો લેવામાં આવી ચૂક્યા છે. પોલીસ સુશાંતસિંહ રાજપૂતના મિત્રો-સંબંધીઓ નોકર તેમજ તેના સંબંધિતો સાથે પૂછપરછ કરી રહી છે.