રાનકુવા, તા.૧૨ 

વૈશ્વિક મહામારી સમાન કોરોનાવાયરસ ની ગાઈડલાઈન નું પાલન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને તમામ સરકારી તેમજ દેશના નાગરિકોને સ્પષ્ટ રીતે પાલન કરવાનું છે જેનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છ.

એસટી નિગમના બીલીમોરા ડેપો ના એ ટી આઈ દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. ડેપો મેનેજર બસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરે તો સત્ય હકીકત ઉજાગર થઇ શકે તેમ છે.

બીલીમોરા એસ.ટી મથકમાં ફરજ બજાવતા એ.ટી.આઈ. રાઠોડ ફરજ ઉપર તો આવે છે પરંતુ તેમના માટે કહેવાય છે કે તેઓ ડિપાર્ટમેન્ટના નિયત કરાયેલા નોમસ નું પાલન કરતા નથી. તેઓનો ગત રોજ શનિવાર નો એક વીડિયો વાયરલ થયેલો છે

આ વીડિયોમાં અને તસવીરોમાં તેઓ વિધાઉટ યુનિફોર્મ માં બસ મથકમાં હાજર હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ડેપો મેનેજર સાથે વાતચીત કરતા તેઓ જણાવી રહ્યા છે કે ગાઈડ લાઈન નું દરેક વ્યક્તિ એ ફરજિયાત પાલન કરવાનું છે. અને આ મામલે હું તપાસ કરાવીશ.