દિલ્હી-
પ્રજાસત્તાકદિને રાજધાનીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાંક પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા કથિત રીતે લાલ કિલ્લા પર ચઢાઈ કરવામાં આવી અને અનેક ઠેકાણે તોડફોડ કરાઈ એ બાબતે આ રેલી કરનારા ખેડૂતોની દેશ-વિદેશમાં ભારે ટીકા થયા બાદ ખેડૂત નેતાઓ સક્રિય થયા છે અને આંદોલન બદનામ ન થાય એ માટે મોડે મોડે પણ તેમણે કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાય છે.
ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોને ભડકાવીને તેમનો રૂટ બદલી નાંખનારા કે તેમને નિયત માર્ગ પર જવા ન દેનારા કેટલાક શખ્સોની ખેડૂત નેતાઓએ ઓળખ કરી લીધી છે અને તેમને પોતાના આંદોલનથી અલગ કરી દીધા છે. મળતા હેવાલ પ્રમાણે આઝાદ કિસાન સમિતિના પ્રમુખ હરપાલ સિંઘ અને ભારતીય કિસાન સંઘના સુરજીત સિંઘને ખેડૂત આંદોલનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં પણ ત્રણ નેતાઓની એક કમિટિ બનાવવામાં આવી છે, જે આ સમગ્ર પ્રકરણમાં તપાસ પણ કરશે. પ્રજાસત્તાકદિને ખેડૂત નેતાઓને બદલે કેટલાંક તોફાની દેખાવકારોએ રેલીનો આપખુદ હવાલો લઈ લેવાને પગલે આ પ્રકારની અરાજક્તા સર્જાઈ હોવાનું જણાયું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments