સિડની
એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની ૮ વિકેટથી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ ઈનિંગમાં ૫૩ રનની લીડ મળી હોવા છતાં બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના ધૂરંધરો માત્ર ૩૬ રનમાં જ તંબુ ભેગા થઈ જતાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો ઓછો સ્કોર નોંધાવ્યો હતો. ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની બીજી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી શરૂ થશે.
આ મેચમાં ટીમ ઈન્ડિયામાં ચાર ફેરફાર થશે. કોહલી પેટરનિટી લીવ અને મોહમ્મદ શમી ઈજાના કારણે બહાર થઈ ગયા છે. આ સિવાય ટીમમાં બે બદલાવ થઈ શકે છે. પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શો ફ્લોપ રહ્યો હતો, તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. સાહાના સ્થાને પંતનો સમાવેશ થઈ શકે છે.
પંતે પ્રેક્ટિસ મેચમાં આક્રમક બેટિંગ કરીને સદી ફટકારી હતી. કોહલીનું સ્થાને કેએલ રાહુલ લેશે તે નિશ્ચિત છે, જ્યારે શમીના સ્થાને સિરાજનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય ટીમમાં હનુમા વિહારીના સ્થાને જાડેજાને પણ તક આપવામાં આવી શકે છે. જાેકે જાડેજાની ફિટનેસને લઈ હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. ૨૬ ડિસેમ્બરથી સિડનીના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટ મેચ રમાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments