અમદાવાદ-

કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થયો છે. આણંદના સારસા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 16 તારીખ સુધી 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે આ નિયમ લાગુ નહીં પડે તમામ વ્યાપારીઓને વહેલી સવારથી 11 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે. 25 જેટલા લોકો કોરોના સંક્રમિત સામે આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બરમાં પણ સારસાએ સંક્રમણ અટકાવવા 10 દિવસનું લોકડાઉન રાખ્યું હતું. 20 હજાર જેટલી વસ્તી ધરાવે છે સારસા ગામ.