મૃતદેહોને ફોલી ખાવા હંમેશા તત્પર રહેતા ગીધડાઓની જમાત જેવી રાજકારણીઓની જમાત ચૂંટણીઓમાં ‘જનસૈલાબ’ ઉભો કરવા અગાઉ જે મેદાનોનો ઉપયોગ કરતાં તે મેદાનોમાં હવે ચિતાઓના સૈલાબના શરમજનક અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.સૌના - સાથ સૌના વિકાસના નારામાં વિશ્વાસ મુકીને જેમને મતો આપ્યા એ પૈકીનો એક પણ રાજકારણી અહીં મૃતદેહોની આ જાહેરસભાને સંબોધવા ફરકતો સુધ્ધાં નથી...!