દિલ્હી-

દિલ્લીમાં હાલમાં કોરોના પોતાના ચરમ પર છે અને પોતાનુ રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. રોજ હજારો કેસ સામે આવી રહ્યા છે જ્યારે સ્મશાન ઘાટોમાં મૃતદેહોના ઢગલાં થયા છે. આ બધા વચ્ચે દિલ્લીમાં કોરોના વાયરસના વાસ્તવિક આંકડા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહેલ આંકડામાં એક મોટુ અંતર સામે આવ્યુ છે. દિલ્લીમાં ૨૭ એપ્રિલે ૧૫,૦૦૯ લોકોના મોત થયા હતા જ્યારે ૨૮ એપ્રિલે દિલ્લી સરકાર દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં મોતનો આંકડો માત્ર ૧૪,૬૧૬ જણાવવામાં આવ્યો કે જ મરનારની વાસ્તવિક સંખ્યાથી ઘણો ઓછો છે.

ગુરુવારે દિલ્લી સરકારે ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થયાથી અત્યાર સુધીનુ બુલેટિન જાહેર કર્યુ જેમાં વ્યાપક વિસંગતિઓ જાેવા મળી. એક દિવસ પહેલા જાહેર કરવામાં આવેલ બુલેટિનની તુલનામાં કોવિડના કુલ કેસ, રિકવરી અને મોત સાથે સંબંધિત આંકડા અપેક્ષાકૃત ઓછા હતા. મધ્ય રાત્રિએ જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં નવા કેસોની સંખ્યા ૨૫,૯૮૬, મોતની સંખ્યા ૩૬૮ અને કોરોનાથી રિકવરીની સંખ્યા ૮૧,૮૨૯ જ્યારે સકારાત્મકતા દર ૩૧.૭૬ ટકા જણાવવામાં આવ્યો છે. આ આંકડા વાસ્તવિક સંખ્યાથી ઘણા ઓછા હતા અને આ ખોટા આંકડા વિશે દિલ્લી સરકારને કોઈ સવાલ કરવામાં આવ્યો નથી. આ સિવાય ૨૭ એપ્રિલે દિલ્લીમાં કોરોનાથી વાસ્તવિક મોત ૧૫,૦૦૯ થયા હતા જ્યારે ૨૮ એપ્રિલે દિલ્લી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં મોતની સંખ્યા ૧૪,૬૧૬ બતાવવામાં આવી. એ જ રીતે ૨૭ એપ્રિલે કોરોનાથી ૯,૫૮,૭૯૨ લોકો રિકવર થયા જ્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં આ આંકડો ૯,૩૦,૩૩૩ બતાવવામાં આવ્યો. વળી, ૨૭ એપ્રિલે ૧૦,૭૨,૦૬૫ પૉઝિટીવ કેસ સામે આવ્યા જ્યારે ૨૮ એપ્રિલે જાહેર કરાયેલ બુલેટિનમાં આની સંખ્યા ૧૦,૫૩,૭૦૧ બતાવવામાં આવી.