અમદાવાદ-

ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં. ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટ અભિયાન હાથ ધરાવા જઇ રહ્યું છે. અને હેલ્મેટ માટે નવો કાયદો અમલ માં આવનાર છે જે મુજબ આગામી જૂન મહિનાથી હવે કોઈપણ જેવતેવા હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરિણામે ખાસ હેલ્મેટ નહિ પહેરનાર વાહનચાલકો ને પકડી પકડી દંડ ફટકરવાનું અભિયાન હાથ ધરવા તખ્તો ગોઠવાઈ ચુક્યો છે, જેથી ફરી દરેક વાહન ચાલકે એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે. રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે. નવા નિયમ મુજબ ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય આમ હવે નવું હેલ્મેટ વસાવવુ પડશે. સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન્સ તૈયાર કરી છે.