આણંદ, તા.૧૪
આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. બોરસદમાં આજે કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં બોરસદ શહેરમાં બે અને કાવિઠામાં એક કેસ નોંધાયો છે. બોરસદમાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે છતાં બજારોમાં લોકોના ટોળેટોળાં જામતાં જાેવા મળે છે. પ્રતિબંધિત વિસ્તારોમાં પણ લોકોની અવર જવર યથાવત છે. શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારી પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. તંત્ર દ્વારા બેન્કને સેનિટાઇઝ કરાઈ છે. આજે બોરસદના અર્બન હેલ્થ ઓફિસરે નગરપાલિકા બોરસદના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, બોરસદમાં એસબીઆઇ બેન્કના કર્મચારીને હાલ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી બેન્કના અન્ય સ્ટાફને તેની અસર ન થાય તે માટે ૧૪ દિવસ ક્વોરન્ટીન કરવાની માગણી કરાઈ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments