દિલ્હી-
દિલ્હી રાજ્ય સરકારે શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદૂષણને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન નીતિ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી. નવી નીતિને પ્રગતિશીલ ગણાવતાં કેજરીવાલે દાવો કર્યો કે તે પ્રદૂષણ ઘટાડશે, રોજગારી વધારશે અને પાંચ વર્ષમાં પાંચ લાખ વાહનોની નોંધણી કરશે.
સીએમએ કહ્યું કે આ સાથે દિલ્હીની અર્થવ્યવસ્થા સારી થવાની અપેક્ષા છે.7 ઓગસ્ટ 2020એ ઇલેક્ટ્રિક વાહન નીતિ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ઇલેક્ટ્રિક વાહન નીતિ દેશની સૌથી પ્રગતિશીલ નીતિ છે. 5 વર્ષમાં 5 લાખ નવા ઇલેકટ્રીક વાહનો નોંધણી કરાશે. ઇવી સેલ' સ્થાપવામાં આવશે. આખી નીતિને અમલમાં મૂકવામાં મદદરૂપ થશે. 1 વર્ષમાં 200 ચાર્જિંગ સ્ટેશનો થશે, કાર માટે ચાર્જિંગ 3 કિ.મી.ની આસપાસ સરળ રહે. રાજ્ય ઇલેક્ટ્રિકલ વ્હિકલ બોર્ડ બનાવવામાં આવશે. મફતમાં વીજળી, શાળા અને કોરોનાને નિયંત્રિત કરવા માટે અમારા મોડેલની ચર્ચા કરવામાં આવી રહી છે, તેવી જ રીતે અમારી ઇલેક્ટ્રિક વાહન નીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments