દિલ્હી-
ગોરખપુરના ચૌરીચૌરા જનવિદ્રોહને આજે 100 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગને શતાબ્દી મહોત્સવ તરીકે મનાવાઇ રહ્યો છે, જેનો શુભારંભ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. તેઓ ચૌરીચૌરા શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ જારી કરશે. ચૌરીચૌરા વિદ્રોહ અત્યાર સુધી કાંડ તરીકે યાદ કરાતો હતો પણ શહીદોના માનમાં વડાપ્રધાન તેની નવી વ્યાખ્યા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી પણ ચૌરીચૌરા પહોંંચશે. શહીદ સ્મારકથી માંડીને આસપાસના શહીદોના ગામ પણ સજાવાઇ રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે ચૌરીચૌરાના શહીદોના માનમાં આખું વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. શતાબ્દી વર્ષનો પ્રારંભ ગુરુવારે સવારે 8.30થી 10 વાગ્યા સુધી પ્રભાત ફેરી કાઢીને કરાશે. ગોરખપુર જિલ્લા તંત્રએ મહોત્સવમાં નિર્ધિરિત સમયમાં અંદાજે 30 હજાર લોકો દ્વારા વંદે માતરમ બોલવાનો રેકોર્ડ સર્જવાની પણ તૈયારી કરી છે. રેલવેએ પણ મહોત્સવમાં જોડાતાં ગોરખપુરથી અનવરગંજ જતી ચૌરીચૌરા એક્સપ્રેસમાં અત્યાધુનિક એલએચબી રેક લગાવવાની જાહેરાત કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments