બોડેલી : બોડેલી પાસે આવેલ રેલવે ફાટક બંધ થતા ફાટકની બન્ને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ છે. ઘણા સમયથી સમસ્યાને લઈ બોડેલી તાલુકાની પ્રજા તેમજ જિલ્લાના લોકો હાલાકી વેઠી રહયા છે ટ્રાફિકજામ ની મુશ્કેલી નિવારણ માટે વર્ષોથી લોકો ઓવરબ્રિજની માંગ કરી રહયા છે. પરંતુ લોકોની માંગ ન સંતોષાતા લોકોમા નારાજગી છે.  

બોડેલીના છોટાઉદેપુર રોડ પર રેલવે ફાટક આવેલી છે જ્યા રોજે રોજ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. ગતવર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યકક્ષાના સ્વાતંત્રદિનની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં વિવધકામો તેમજ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં માટે આવ્યા હતા. ત્યારે બોડેલી બજાર સમિતિ પોતાનો યુવા સંમેલનનો કાર્યક્રમ પૂર્ણ કરી કાફલા સાથે બોડેલી વિશ્રામગૃહ ખાતે આવી રહ્યા હતા. ટ્રેન પસાર થવાનો સમય હોવાથી રેલવે ફાટકના ટ્રાફિકજામનો મુખ્યમંત્રી ને કડવો અનુભવથી થયો હતો. ત્યાર બાદ છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમા બોડેલી પાસે આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે ૫૦ કરોડની જાહેરાત કરી હતી મુખ્યમંત્રીની જાહેરાત બાદ હજુ પણ ઓવરબ્રિજની બને તેવા કોઈ આશાર જોવાતા નથી.

સત્વરે બ્રિજ બનાવવો જરૂરી

વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લા વચ્ચે છોટાઉદેપુર, વડોદરા, ડભોઇ, અલીરાજપુર સુધી હાઇવે જાય છે એ હાઇવે ઉપર નાના મોટા શહેરો આવેલા છે જેતપુરપાવી, બોડેલી, છોટાઉદેપુર, ડભોઇ ત્યાં કેટલીક જગ્યાએ બજાર માંથી ફાટક પસાર થાય છે.ગયા વર્ષે અહીંયા છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો ધ્વજવંદન ૧૫ ઓગસ્ટ નો કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઢોકલીયા ફાટક ઉપર ટ્રાફિક જામ થતા અને રેલવે ફાટક બંધ હતું. સીએમ સાહેબનો કાફલો પણ એટલો હોઈ જેથી કરીને લોકોની એક રજુઆત હતી ઢોકલીયા ફાટક ઉપર ઓવરબ્રિજ મુખ્યમંત્રી એ તાત્કાલિક લોકોના હિતમાં સોલ્યુશન લવા માટે ૫૦ કરોડ જાહેરાત તે દિવસે કરી હતી અને આજે એક વર્ષ થવા આવ્યો છે. વાસ્તવમાં તેનું કામકાજ શરૂ કરવામાં આવેલ નથી જે અમારી ડીમાન્ડ છે આ જાહેરાત કરી છે ૫૦ કરોડ બાંધકામ વિભાગને આપી રોડ ઓવરબ્રિજ બનાવમાં આવે તેવી અમારી માગણી છે. • નારાયણ રાઠવા, રાજ્યસભા સાંસદ

ભાજપના સાંસદે સીએમની પોલ ખોલી

ગયા વર્ષે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષા નો કાર્યક્રમ હતો અને એમાં મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવ્યા હતા અને જ્યારે ૧૪ તારીખે બોડેલી સભા સંબોધન કરવાના હતા ત્યાર બાદ બોડલીની રેલવે ફાટક પાસેએ ટ્રાફિકમાં ફસાયા હતા ત્યારે એમને ખબર પડી અહીંયા ખૂબ ટ્રાફિક જામ થાય છે એમને સભામાં જઈ એમને જાહેરાત કરી ૫૦ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનશે તેમ લોકડાઉનનો સમય રહ્યો કોરોનાની મહામારીમાં જે આપણે વિતાવી રહ્યા છે ત્યારે આ ઓવરબ્રિજ ન બનવાનું કારણ એકજ છે અત્યારે ખુબજ પરિસ્થિતિ ગંભીર છે અને મુ.મં.એ વચન આપ્યું છે આ વહેલામાં આવેલી તકે ઓવરબ્રિજ બને તે માટે અમે પણ એમને જાણ કરીશું અને આ ઓવરબ્રિજ બનવાથી ખૂબ મોટો ફાયદો પ્રજાને થશે.

• ગીતાબેન રાઠવા, સાંસદ, છોટાઉદેપુર