ગાંધીનગર-

ગુજરાતના 5 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 5 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના કલેક્ટર કે.કે. નિરાલાને ગાંધીનગર સચિવાલયમાં ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી બનાવાયા છે.


પાટણના કલેક્ટર આનંદ બાબુલાલ પટેલની બદલી કરીને બનાસકાંઠા-પાલનપુરના કલેક્ટર બનાવાયા છે. બનાસકાંઠા-પાલનપુરના કલેક્ટર સંદિપ જનાર્દનપંત સગલેની બદલી કરીને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે. ગાંધીનગર એમ્પોયમેન્ટ એન્ડ ટ્રેઇનિંગ ડિરેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીની બદલી કરીને પાટણના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે IAS અધિકારી અલોક કુમાર પાંડેની ગાંધીનગર એમ્પોયમેન્ટ એન્ડ ટ્રેઇનિંગના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.