લખનઉ-

રામ મંદિર સંકુલને 70 એકરની જગ્યાએ 107 એકરમાં બનાવવાની યોજનાના ભાગ રૂપે રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર દ્વારા રામ જન્મભૂમિ સંકુલ પાસે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદાઈ હોવાનું ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ માટે વધુ જમીન ખરીદવાની યોજના છે. રામ મંદિર સંકુલ નજીક મંદિરો, મકાનો અને ખાલી મેદાનના માલિકો સાથે વાટાઘાટો ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ 107 એકરમાં વિસ્તૃત ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ કરવા માંગે છે અને તેના માટે હવે 14,30,195 ચોરસફૂટ જમીન ખરીદવી પડશે. નોંધપાત્ર વાત એ છે કે પાંચ એકર જમીનમાં મુખ્ય મંદિર બનાવવામાં આવશે અને બાકીની જમીન પર મ્યુઝિયમ અને લાઇબ્રેરી વગેરે કેન્દ્રો બનાવવામાં આવશે.રામ મંદિર સંકુલને 70 એકરની જગ્યાએ 107 એકરમાં બનાવવાની યોજનાનાં ભાગરૂપે રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર દ્વારા રામ જન્મભૂમિ સંકુલ પાસે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ટ્રસ્ટે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદવા માટે પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1,373ના દરે રૂપિયા 1 કરોડ ચૂકવ્યા છે.