અંક્લેશ્વર, અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે થી શહેર પોલીસે ઇકો કાર ના સાઇલેન્સર ની ચોરી કરતા બે શખ્સો ને ઝડપી પાડી બે નંગ સાઇલેન્સર કબ્જે કર્યા હતા. અને ફરાર એક શખ્સ ને ઝડપી પાડવા ની પોલીસે કવાયત હાથ ધરી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા ના હથોડા ગામે રહેતા ઇમરાન અયુબ ગુલઝાર ની ઇકો કાર ના સાઇલેન્સર ની ચોરી થઇ હતી. અંકલેશ્વર નજીક તેઓની ઇકો કાર નું કોઈક શખ્સો દ્વારા ઓરીજનલ સાઇલેન્સર કાઢી લઇ ડુપ્લીકેટ સાઇલેન્સર ફિટ કરી દીધુ હતુ. તેઓએ ગેરેજ ઉપર તપાસ કરાવતા સાઇલેન્સર ચોરી બહાર આવી હતી. સાઇલેન્સર ચોરી બાબતે ઇમરાન ગુલઝારે અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે તપાસ શરુ કરતા મળેલી માહિતી ના આધારે વાલિયા ચોકડી બ્રિજ નીચે થી ભડકોદ્રા ની આદિત્ય નગર સોસાયટી માં રહેતા સુનિલ શ્રીનારાયણ મિશ્રા અને ખરોડ ગામે રહેતા ઇબ્રાહિમ ઈદ્રીશ અટન ને ઝડપી પાડ્યા હતા. જયારે ખરોડ ગામનો અહેમદ બાવા નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો.