અમદાવાદ-
શહેરમાં વણસતી જતી કોરોનાની હાલતને ધ્યાનમાં લઈને હવે અનેક સંસ્થાઓ સજાગ થવા માંડી છે ત્યારે બે અગ્રણી ક્લબોએ પણ આગામી દિવસોમાં પોતાના મેમ્બરો માટે સાવચેતીના કદમ ઉઠાવ્યા છે.
અમદાવાદની જાણીતી ક્લબો કર્ણાવતી અને રાજપથ દ્વારા મહત્વના તહેવારો હોળી-ધૂળેટી પહેલાં જ નિર્ણય કરી લેવાયો છે કે, એ તહેવારોની ઉજવણી સામુહિક રીતે અને ધામધૂમથી કરવાની ક્લબ દ્વારા મંજૂરી નહીં અપાય. આ ક્લબોએ પોતાના મેમ્બરોને સૂચન કર્યું છે કે મેમ્બરો એક જગ્યાએ ભેગા થાય અને તહેવારની ઉજવણી કરે એ સામુહિક હિતમાં નહીં હોવાથી આ વર્ષે ધૂળેટીનું પર્વ ઉજવવા માટે ક્લબના સભ્યોને એકઠા થવા દેવામાં નહીં આવે. ક્લબે તેના બદલે સૂચન કર્યું છે કે, મેમ્બરોએ એકબીજાના ઘરે જઈને આ પર્વની ઉજવણી કરવી. ક્લબ દ્વારા આ અંગેની સૂચના આપતા સંદેશા સોશ્યલ મિડિયા દ્વારા પાઠવી પણ દેવાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments