મહુધા : નંદગામના સરપંચ ભરતભાઇ સોલંકીના જણાવ્યાં પ્રમાણે બુધવારની બપોરના રામાભાઇ સોલંકીના ખેતરના છેડા પર વૃક્ષ કાપવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે મહુધામા અચાનક પલટાયેલાં વાતાવરણને લઈ બપોરના સમયે વરસાદ સહિત વીજળીના કડાકા જાેેવાં મળ્યાં હતા. એ સમયે નંદગામમા વીણા રોડ પર વૃક્ષ કાપતા રમેશભાઇ મોતીભાઇ ગોહેલ અને કમલેશભાઇ અંબુભાઇ ચુનારા પર અચાનક વીજળી પડતાં બેભાન થઈ ગયા હતા. જેનાં પગલે અસપાસના લોકોએ તાબડતોબ ૧૦૮ને બોલાવી મહુધા સીએચસી ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા બંને યુવકોને મૃત જાહેર કરવામા આવ્યા હતા. સમગ્ર મામલે મહુધા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ મહુધા ટીડીઓ દ્વારા આકસ્મિક ઘટનાથી મૃત્યુ પામેલા યુવકોનો પંચકેશ કરી સહાયની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.