ભાવનગર,એક માસ અગાઉ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં અંતિમ સફર એ આવેલા બે જહાજના આઈ.એમ.ઓ. નંબર શંકાસ્પદ હોવાના કારણે જામનગર કસ્ટમ્સની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા બંને જહાજને સીઝ કરવામાં આવ્યા હતા. આ બંને શિપને કસ્ટમ વિભાગ દ્વારા ૮૫ લાખની પેનલ્ટી ફટકારાઈ છે.ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ના પ્લોટ નંબર ૮૭-એ (ગોહિલવાડ શિપ બ્રેકર્સ) દ્વારા કોરલ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું જ્યારે પ્લોટ નંબર ૨૮ (ક્રાઉન સ્ટીલ કંપની) દ્વારા સી-ગોલ્ડન નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. આ બંને શિપનું નિયમ અનુસાર ભાવનગર કસ્ટમ દ્વારા બોર્ડિંગ અને રૂમેઝિગ પણ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી. પરંતુ એકાએક જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડી દ્વારા આ બંને શિપનું ફરી એક વખત તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી હતી. અને જહાજનો ૈર્દ્બ નંબર અગાઉ કંઈક જુદો હતો અને વર્તમાનમાં કંઈક અલગ દર્શાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બંને શિપના કેપ્ટનનો, એજન્ટ સહિતના નિવેદનો નોંધ્યા બાદ કસ્ટમ દ્વારા બંને જહાજ સીઝ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગોહિલવાડ શિપ બ્રેકર્સ અને ક્રાઉન સ્ટીલ કંપની દ્વારા હજુ શીપની ફિઝિકલ ડિલિવરી લીધી નહીં હોવાથી બંને વ્યવસાયકારોએ જહાજ છોડી દીધા હતા. હવે એક મહિના બાદ જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડી દ્વારા બંને જહાજ પર ૮૫ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે.અગાઉ અલંગમાં આવતા પૂર્વે ઉપરોક્ત બંને જહાજાેએ કરાચી આઉટર પોર્ટ લિમિટમાં ઈંધણ અને પ્રોવિઝન મેળવ્યું હતું. ઉપરાંત ગુજરાતની જળસીમામાં પ્રવેશતા પૂર્વે બંને જહાજાેએ સંદેશા વ્યવહારના સાધનો બંધ કરી દીધા હતા, તેથી સુરક્ષા એજન્સીઓના રડારમાં આ શિપ આવ્યા હતા. જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડી દ્વારા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા કોરલ અને સી-ગોલ્ડન શિપને ખોટા ૈંસ્ર્ં નંબર હોવાનું કહી સીઝ કરવામાં આવ્યા હતા. હવે એક મહિના બાદ ૮૫ લાખની પેનલ્ટી ફટકારી બંને શિપ રીલિઝ કરવામાં આવ્યા છે. અહીં પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે, જાે બંને જહાજાે ખોટા ૈર્દ્બ નંબર વાળા હોય તો પેનલ્ટી ભરીને તે શું કાયદેસર થઈ શકે છે?. કોસ્ટ ગાર્ડ‌ અને ભાવનગર કસ્ટમની ચકાસણીમાં કાંઈ ‌મળ્યુ ન હતું. તો શા માટે જામનગર કસ્ટમે બંને જહાજને સીઝ કર્યા હતા?. સીઝ કરવામાં બંને જહાજાે ની અનિયમીતતા હતી તો, પેનલટીથી આવા જહાજાે છોડી શકાય ખરી? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.