રાજકોટ-

કોરોનાની મહામારીના આ સમયમાં કુલપતિ નીતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીના આ નિર્ણયને તમામ વિદ્યાર્થીઓએ પણ સહર્ષ સ્વીકાર્યો છે.આ તમામ વિદ્યાર્થીઓને એક સરખા અંદાજીત રૂપિયા 7,000ની કિંમતના ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મી ડિસેમ્બરે યોજાનારા પદવીદાન સમારંભમાં માત્ર 150 ગોલ્ડમેડાલિસ્ટને જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી એનાયત થશે.બાકીના તમામ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિગ્રી તથા શુભેચ્છા ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યા શાખાઓના 29,673 વિદ્યાર્થીઓને રૂબરૂમાં નહીં પરંતુ ઘર બેઠા જ ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવશે તેમજ રાજ્યપાલ દ્વારા વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવવામાં આવશે.