દિલ્હી-

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જે હવે રાજકીય નેતાઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ ગૃહપ્રધાને ટ્વિટ કરી જાણકારી આપી હતી જો કે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી માહિતી આપી હતી કે કોરોનાના પ્રારંભિક લક્ષણો મળ્યા પછી, મેં પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટ સકારાત્મક પોઝીટીવ આવ્યો. મારી તબિયત બરાબર છે, પરંતુ ડોકટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું વિનંતી કરું છું કે તમે બધા જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારી જાતને અલગ કરો અને તમારી તપાસ કરો.